Advertisement
Author: નોબત સમાચાર

હૃદયરોગનો હુમલો આવી જતાં જોગવડ પાટીયા પાસે યુવકનું મૃત્યુ

મૃતકના ભાઈનું નોંેંધાયું નિવેદનઃ

જામનગર તા. ૧૫: લાલપુરના જોગવડ ગામના પાટીયા નજીક વસવાટ કરતા એક યુવાનને ગઈકાલે સાંજે હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ થયું છે.

લાલ૫ુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે રાણીશીપ નજીક વસવાટ કરતા ભોજાભાઈ હરદાસભાઈ સીંધીયા નામના ૪૫ વર્ષના યુવાન ગઈકાલે સાંજે કોઈ રીતે બેભાન બની ઢળી પડ્યા હતા.

આ યુવાનને સારવાર માટે સિક્કામાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. મૃતકના નાનાભાઈ પબુભાઈ સીંધીયાએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh