Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોને 'માવઠા'નો મારઃ
ખંભાળીયા તા. ૧પઃ તાજેતરમાં દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માવઠાના વરસાદનો માર થતાં ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયાએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે માવઠાના મારથી ખેડૂતો માટે દીવાળીનો સમય હોળીની સ્થિતિમાં બદલાઈ ગયો છે.
માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે તથા છેલ્લા ત્રણેક દિવસથી વરસતા માવઠાના ભારે વરસાદની કફોડી સ્થિતિ ખેડૂતોની થઈ છે. વરસાદ આગોતરા તથા પાછોતરા બન્ને વાવેતરવાળા માટે નુકસાનકારક સાબીત થયો છે તથા મગફળી તથા કપાસને ખૂબ નુકસાન થયું છે. કપાસનો પાક અતિવૃષ્ટિમાં ૭૦-૮૦ ટકા બગડી ગયો હતો અને બાકી બચ્યો તે આ માવઠામાં બગડી ગયો !!
સરકાર માત્ર જાહેરાત અંગે ઠાલા વચનો જ આપે છે ૧૮ થી ર૪ જુલાઈની અતિવૃષ્ટિમાં ૩૦૦ કરોડની સહાય જાહેરાત થઈ પણ હજી એક રૂપિયો કોઈને મળ્યો નથી, રર થી ૩૦ ઓગસ્ટ અતિવૃષ્ટિનો સર્વે થયો અને સહાય હજુ પણ બાકી છે. જમીન ધોવાણ સર્વે જ નથી થયોે. ખેડૂતો પાસે ફરિજયાત બીનપિયત ફોર્મ ભરાવી ૪૪ હજાર સહાય મળે તેવું ફોર્મ ભરાયું છે ત્યારે જે સરકારને આપવું જ ના હોય તો અને સહાયની જાહેરાત કરવાની બંધ કરે તે પણ કહેવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial