Advertisement
Author: નોબત સમાચાર

મ્હોંમાં ચાંદા પડી જવાથી જમી નહીં શકતા યુવાને કંટાળી જઈ ઓઢી લીધી અગનપછેડી

ગંભીર રીતે દાઝી જવાથી નિપજ્યું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧૨: જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક યુવાને મ્હોંમાં ચાંદા પડી જતા દોઢેક મહિના સુધી બરાબર રીતે નહીં જમાતા કંટાળી જઈ ગઈકાલે અગનપછેડી ઓઢી લીધી હતી. આ યુવાનનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેમના પિતાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં વસવાટ કરતા ભાવેશભાઈ કરમણભાઈ બારેજીયા (ઉ.વ.૪૮) નામના યુવાનને થોડા વખતથી મ્હોંમાં ચાંદા પડી ગયા હતા જેની તેઓ સારવાર મેળવી રહ્યા હતા.

મ્હોંમાં ચાંદાના કારણે છેલ્લા દોઢેક મહિનાથી આ યુવાન બરાબર રીતે જમી શકતા ન હતા. તેથી કંટાળી ગયા હતા. આ યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દઈ દીવાસળી ચાંપી દીધી હતી. સળગી ઉઠેલા આ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવાનને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે.

બનાવની પોલીસને જાણ કરવામાં આવતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યા પછી મૃતકના પિતા કરમણભાઈ ઉકાભાઈ બારેજીયાનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh