Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા બાર એસોસિએશનના પ્રમુખપદ માટે ત્રણ રઘુવંશી વચ્ચે ચૂંટણી જંગ યોજાશે

ગઈકાલે કેટલાક ફોર્મ પરત ખેંચાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: દ્વારકા બાર એસોસિએશનની આગામી તા.૧૯ના દિને ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખપદ માટે હાલમાં દ્વારકાના ત્રણ એડવોકેટ્સ ચૂંટણીજંગમાં રહયા છે. આ વખતે ત્રણ રઘુવંશીઓ વચ્ચે પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાશે.

દ્વારકા બાર એસોસિએશનની આગામી તા.૧૯ના દિને ચંૂટણી યોજાઈ રહી છે. જેમાં ગઈકાલે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના દિવસે કેટલાક ફોર્મ પરત ખેંચાઈ જતા પ્રમુખપદ માટે ત્રણ એડવોકેટ્સ ચૂંટણી જંગમાં રહ્યા છે.

દ્વારકા બાર એસોસિએશનના ર૮ મહિલા સહિતના ૧૧૭ સદસ્ય છે. તેના પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે આગામી તા.૧૯ના દિને મતદાન થવાનું છે ત્યારે ગઈકાલે ફોર્મ પરત ખેચવાના દિવસે કેટલાક ફોર્મ પરત ખેંચાતા પ્રમુખપદ માટેની ચૂંટણીમાં એડવોકેટ નિરવ સામાણી, અશ્વિન પાબારી, સંજય રાયઠઠ્ઠા મેદાનમાં રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh