Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સોઢાના ડેલામાં બે માસથી ભૂગર્ભ ગટરનું કામ અધુરૃં: સ્થાનિકોને હાલાકી

બે-બે વખત રજૂઆત કરી હોવા છતાં પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરના વોર્ડ નં. ૯માં સોઢાના ડેલામાં છેલ્લા બે માસથી ભૂગર્ભ ગટરના કામમાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.સંબંધિત તંત્રને બે-બે વખત ઓનલાઈન રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થયું નથી. તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અહીં અપૂર્ણ કામના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અધૂરા કામના કારણે દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાનું કામ પૂરૃં થઈ જાય એટલે ડોકાતા પણ નથી. આ વિસ્તારમાં જે ભૂગર્ભ ગટરનુ કામ અધુરૃં છે તેમાં રોડ પર ખાડા ટેકરા હોય તેમજ સિમેન્ટના ઢાંકણાનું કોઈ લેવલીંગ નથી તેમજ પાઈપ નાખ્યા છે ત્યાં ખાડા પડી ગયા છે, તેથી સ્થાનિકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. તેથી તંત્ર હવે જાગે અને કામ પૂરૃં કરે તેવી માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh