Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમના આદેશ મુજબ જામ્યુકો દ્વારા પ્રતિબંધઃ
જામનગર તા. ૧રઃ જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનથી લોકો ત્રસ્ત બની ગયા છે, જ્યારે જાહેરમાં તેને ખોરાક નહીં આપવાનો તંત્રએ અનુરોધ કર્યો છે.
રસ્તે રઝળતા શ્વાનને ઘર આંગણે અથવા જાહેરમાં ખોરાક આપવા ઉપર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ જામનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. હવે આવા શ્વનને માત્ર મહાનગર પાલિકાએ નક્કી કરેલ સ્થળે જ ખોરાક આપી શકાશે.
આ અંગેની જાહેરાત કરતું બોર્ડ ગાંધીનગર વિસ્તારમાં મૂકવામાં આવ્યું છે. શહેરમાં હાલ ૯ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. શહેરના કુલ ૧૬ વોર્ડ ૫ૈકી ૯ વોર્ડમાં સુવિધા શરૂ થઈ ચૂકી છે. બાકીના સાત વોર્ડમાં જગ્યાની પસંદગી માટે કાર્યવાહી ચાલી રહી છે.
આ પછી આ પ્રોજેક્ટની કડક અમલવારી શરૂ કરાશે. એટલે કે દરેક વોર્ડમાં એક નક્કી કરેલા સ્થળે જ શ્વાનને ખોરાક આપી શકાશે. એટલે કે લોકો પોતાના ઘર પાસે રઝળતા શ્વાનને ખવડાવી શકાશે નહીં.
રસ્તે રઝળતા શ્વાન રાહદારીઓને બટકા ભરે છે અને શ્વાનનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. આથી મામલો સુપ્રિમમાં પહોંચતા ન્યાય નિર્દેશન મળ્યા મુજબ મહાનગરપાલિકાઓ દ્વારા તેનું પાલન કરાવાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial