Advertisement
Author: નોબત સમાચાર

પટણીવાડમાં છતનો હિસ્સો તૂટી પડ્યો

સદ્નસીબે નુક્સાની ટળીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના પટણીવાડ વિસ્તારમાં ગઈકાલે હળવા વરસાદ વચ્ચે જર્જરિત ઈમારતનો છતનો હિસ્સો તૂટી પડ્યો હતો, જો કે કોઈને નુક્સાન પહોંચ્યું ન હતું.

જામનગરમાં ગઈ રાત્રે હળવો વરસાદ થયો હતો. સાથે પવનની ઝડપ પણ વધુ રહેવા પામી હતી. આ દરમિયાન પટણીવાડ વિસ્તારમાં સદામ રેસ્ટોરન્ટ સામે હુશેની બાગ હોલની જુની-જર્જરિત ઈમારતની છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો.

જો કે, આ સમયે ત્યાં કોઈ અવરજવર ન હતી. પરિણામે કોઈ માનવ ઈજા પહોંચી ન હતી, પરંતુ લોકોના ટોળા એકત્ર થયા હતાં.

આવી જ અન્ય જર્જરિત ઈમારતો અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ અન્યથા મોટી નુક્સાની થઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh