Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેતા અન્ય શ્રમિકનું નિવેદન નોંધાયું:
જામનગર તા.૧૩ : જામનગરના મેઘપર ગામમાં વસવાટ કરતા એક પરપ્રાંતીય શ્રમિકે ગઈકાલે સવારે પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. તેની સાથે રહેતા શ્રમિકનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર મેઘપર ગામમાં રહેતા એક પરપ્રાંતીય શ્રમિકે પોતાની સાથે રહેતા અન્ય શ્રમિક નોકરી પર ગયા પછી સાંજ સુધીમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મેઘપર ગામમાં સુજીતકુમાર નામના આસામી ના મકાનમાં રહેતા મૂળ બિહાર રાજ્યના રોહતાઝ જિલ્લાના વતની જનાર્દન ઈન્દ્રદેવ પ્રસાદ (ઉ.વ.રપ) નામના શ્રમિકે ગઈકાલે સવારે સાડા સાત વાગ્યાથી સાંજ સુધીમાં કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની સાથે ત્યાં રહેતા સચિન પ્રભાકરસિંગ સાંજે જ્યારે નોકરી પરથી પરત આવ્યા ત્યારે તેઓએ જનાર્દન પ્રસાદને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી મેઘપર પોલીસે આ યુવાનને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial