Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાગ મેળવવા કાકા સામે કરાયો હતો દાવોઃ
જામનગર તા.૧૩ : જોડિયાના મેઘપરમાં આવેલી ખેતીની એક જમીન અંગે કાકા સામે ભત્રીજીએ ભાગ મળવા અંગે કરેલો દાવો જોડિયાની અદાલતે નામંજૂર રાખ્યો છે.
જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલી ખેતીની જમીન બાબતે ગુણવંતીબેન રામજી ટાંક ગુજરનાર દેવરાજભાઈ માધાભાઈ ટાંકના પૌત્રી છે. દેવરાજભાઈએ પોતાની હૈયાતીમાં વર્ષ ૧૯૯૦માં મિલકતની વહેચણી કરી હતી. તે વખતે ગુણવંતીબેન સગીર હોવાથી તેમના કાકા અને કુટુંબના વડા તરીકે શાંતિલાલ દેવરાજના નામે જમીન થઈ હતી. જેનું ફેમિલી એગ્રીમેન્ટ થયું હતું.
આ જમીનમાં પોતાનો હિસ્સો આવેલો છે તેવો દાવો ગુણવંતીબેને કરી જોડિયાની દીવાની અદાલતમાં દાવો નોંધાવ્યો હતો. તે અન્વયે હાજર થયેલા શાંતિલાલ દેવરાજે વાંધો લીધો હતો કે તે મિલકત દેવરાજ માધાભાઈની સ્વતંત્ર મિલકત છે, તેઓએ પોતાની હૈયાતીમાં પુત્રોને જમીનની વહેચણી કરી છે. આ બાબતે અગાઉ કરેલી કાર્યવાહી અંગે ગુણવંતીબેને વિગતો છુપાવી છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી ગુણવંતીબેનનો દાવો રદ્દ કર્યાે છે. શાંતિલાલ તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નેમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial