Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્ણ શણગાર સજેલી હોલિકાનું પૂતળું થાય છે ભસ્મઃ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શાક માર્કેટ વિસ્તારમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ હોળી પર હોલિકાના પૂતળા સાથે વિરાટકાય હોળીનું દહ્ન કરવામાં આવે છે. આ હોળીનું ૭૦ મા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હોલિકાના રપ ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને સંપૂર્ણ શણગાર કરવામાં આવ્યો છે. આજે સાંજે હોળી દહ્ન સાથે આ વિરાટકાય અને આકર્ષક પૂતળું ભસ્મ થશે ત્યારે પાપ કે આસુરી શક્તિ ગમે તેટલી મોહક કે બળવાન ભલે હોય આખરે તો પુણ્ય અર્થાત્ દેવી શક્તિનો જ વિજય થાય છે એ સંદેશ સાકાર થશે એમ કહી શકાય. આ હોળી નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપરાંત બહારગામથી પણ લોકો ઉમટી પડે છે જે તેની આગવી લોકપ્રિયતાનો પુરાવો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial