Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અસહ્ય ગરમીથી લોકો પરસેવે રેબજેબઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ વધારાકે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૮.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. જેના પગલે અસહ્ય ગરમી પણ યથાવત્ રહી હતી.
જામનગરમાં ગુરુવારે સવારે પૂરા થતા ચોવીસ કલાકના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા છે. જેમાં કોઈ વધારા કે ઘટાડાવગર મહત્તમ તાપમાનનો પારો ૩૮.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, જ્યારે એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી નોંધાયું હતું.
મહત્તમ તાપમાન વધુ રહેતા ગઈકાલે પણ આકરો તાપ અનુભવાયો હતો. અસહ્ય ગરમીથી પરસેવે રેબઝેબ થઈ લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. સવારે સૂર્યદેવતાએ દેખા દીધા પછી વાતાવરણમાં ધીમે ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોર સુધીમાં આકરો તાપ પડતા જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નગરમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટી જતા નગરજનોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૦ ટકા વધીને ૬ર ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial