Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ધારાસભ્યનો ઋણ સ્વીકારઃ
જામનગર તા. ૧૩: જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તાજેતરમાં સેવા રથ લોન્ચ કરવામાં આવ્યો હતો. જે વિવિધ વિસ્તારોમાં જઈ લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપે છે. શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આ સેવા રથના માધ્યમથી સમાજના ભાઈઓ-બહેનોના આયુષ્માન કાર્ડ તથા રાશન કાર્ડના ઈ-કેવાયસી કરવામાં આવ્યા હતાં.
હરતા-ફરતા કેમ્પરૂપે કાર્યરત સેવા રથમાં શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુ, જ્ઞાતિના જામનગર પ્રમુખ સુનિલભાઈ ખેતીયા, ગ્રામ્ય વિસ્તાર પ્રમુખ સમીરભાઈ વાસુ, મુંબઈથી આવેલ જ્ઞાતિના આગેવાન અનિલભાઈ ભટ્ટ, કથાકાર વિરલભાઈ નાકર, બ્રહ્મ અગ્રણી જયેશભાઈ ગોપીયાણી સહિતના આગેવાનો તથા મનદિપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેમ્પનો આરંભ કરવામાં આવ્યો હતો.
કેમ્પમાં ૮૦ જેટલા આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા હતાં તથા ૬૦ જેટલા રાશન કાર્ડ ઈ-કેવાયસી કરવામાં આવ્યા હતાં. ઉપરાંત બાળકોના આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતાં.
ધારાસભ્ય રિવાભાના સેવારથ વડે જ્ઞાતિજનોને સરળતાથી આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થતા જ્ઞાતિના પ્રમુખ પ્રફુલ્લભાઈ વાસુ સહિતના બ્રહ્મ અગ્રણીઓ દ્વારા ધારાસભ્યનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial