Advertisement
Author: નોબત સમાચાર

તબીબની મોટરને અકસ્માતમાં થયેલી નુકસાની ચૂકવવા આદેશ

વ્યાજ પણ ચૂકવવામાં આવશેઃ

જામનગર તા.૧૩ : જામનગરના એક તબીબની મોટરને બે વર્ષ પહેલાં અકસ્માત નડ્યો હતો. જેનું વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ. ૧૧ લાખથી વધુની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે.

જામનગરના ડો. ભાવિક એચ. જોષી વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં પોતાની બીએમડબલ્યુ મોટર લઈ કાલાવડ જતા હતા ત્યારે માર્ગમાં મીની ટ્રક સાથે મોટર ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયું હતું. તેનો ક્લેઈમ વીમા કંપની સમક્ષ રજૂ કરાયો હતો.

ક્લેઈમ ચૂકવવામાં ન આવતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ. ૧૧,૪૦,૭૯૦ છ ટકાના વ્યાજ સાથે અને રૂ. પ હજાર ફરિયાદ ખર્ચના અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ સોહિલ બેલીમ, સુમિત પરમાર, હર્ષિલ રાબડીયા, સલમાન શેખ, ફૈઝાન કોરડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh