Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાથી ભોગાત સુધીનો ૧૧ કિ.મી. માર્ગ અત્યંત બિસ્મારઃ ભારે હાલાકી

માર્ગ મરામત કરવા ઉઠતી લોકમાંગણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભાટીયાથી ભોગાત સુધીનો ૧૧ કિ.મી.નો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો હોવાથી તેને તાકિદે રીપેર કરવા ઉગ્ર લોકમાંગણી ઉઠવા પામી છે.

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં હરસિદ્ધિ માતાજી મંદિર, પોરબંદર, સોમનાથ વાહનો જતા હોય છે. આ ઉપરાંત આ માર્ગ પર તાલુકાના નાના ગામડાઓ ગોકલપર, ભારવડીયા, નાવદ્રા, લાંબા, ગાંગડી, ગાંધવી વગેરે આવેલા હોવાથી વાહનોની મોટા પ્રમાણમાં અવર-જવર રહે છે. ખરાબ રસ્તાઓના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાથી મહત્ત્વના રસ્તાને તાકિદે રીપેર કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh