Advertisement
Author: નોબત સમાચાર

કૃષ્ણમણિજી મહારાજશ્રીના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

જામનગર તા. ૩૦ઃ છોટીકાશીમાં ધાર્મિક અને સામાજિક સેવાકીય ક્ષેત્રે કાર્યરત શ્રી નવતનપુરી ધામ- ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણ પ્રણામીધર્મના આચાર્ય જગદગુરુ શ્રી ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજનો ૬૦ મો જન્મોત્સવ આગામી તા. ૧ જાન્યુઆરી, ર૦ર૪ ને સોમવારના શુભ દિને છે. આ પ્રસંગને સંસ્થા દ્વારા ભવ્ય અને ગરિમાપૂર્ણ રીતે ઉજવવામાં આવનાર છે. જામનગરની સર્વે ધર્મપ્રેમી જનતાને પૂ. મહારાજશ્રીના દર્શનનો લાભ સવારે ૯ થી ૧ર-૩૦ સુધી મળી શકશે. સંતોના પ્રવચનો, સામાજિક -રાજકીય આગેવાનો, સુંદરસાથ તથા જાહેર જનતા દ્વારા પૂ. મહારાજશ્રીનું અભિવાદન તેમજ સવારે ૯ થી ૧ સુધી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. રકતદાન કેમ્પના યજ્ઞમાં સહભાગી થવા પ્રણામી સંપ્રદાયના સુંદરસાથજી તેમજ જામનગરની જનતાને સ્વામી લક્ષ્મણદેવજી મહારાજ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh