Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા કલ્યાણપુર પંથકમાંથી ઝડપાઈ રૂા.૩૭.૯૫ લાખની વીજચોરી

વીજ કંપનીની ૪૪ ટૂકડીએ ગઈકાલે કર્યું ચેકીંગઃ

જામનગર તા. ૩૦ઃ જામનગરના પીજીવીસીએલ કચેરી દ્વારા ગઈકાલે જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૂા.૩૭ લાખ ૯૫ હજારની વીજચોરી ઝડપાઈ જવા પામી હતી.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામવા શરૂ કરાયેલા ચેકીંગમાં ગઈકાલે ૪૪ ટૂકડીઓએ જામનગરના મહારાજા સોસાયટી, અમન ચમન સોસાયટી તથા ગોકુલ નગર, મયુરનગર, પાણાખાણ, દિગ્વિજય પ્લોટ-૪૯ તેમજ હનુમાન ટેકરી વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન ચેકીંગ ટૂકડીઓએ ૫૨૫ વીજ જોડાણો ચકાસ્યા હતા. જેમાંથી ૧૧૦ વીજજોડાણોમાં ગેરરીતિ મળી આવતા સ્થળ પર જ રૂા.૩૭ લાખ ૯૫ હજારના પુરવણી બીલ ફટકારવામાં આવ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh