Advertisement
Author: નોબત સમાચાર

મુખ્યસેવિકા તરીકે બઢતીના મેરીટ લિસ્ટમાં ગોબાચારીઃ ખોટા અર્થઘટનની ફેલાઈ નારાજગી

જામનગર મહાનગરપાલિકામાં અન્યાયની રાવ

જામનગર તા. ૩૦ઃ જામનગર મહાનગરપાલિકામાં મુખ્ય સેવિકા તરીકે બઢતી માટેના નિર્ણય સામે નારાજગી ફેલાઈ હોવાનું જાળવા મળે છે.

આઈસીડીએસ વિભાગ હસ્તક કાર્યકર્તામાંથી મુખ્ય સેવિકામાં બઢતી માટે ૪૪ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં સિનિયોરીટીમાં અન્યાય થતો હોવાનો સુર સાંભળવા મળી રહ્યો છે. આ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ગુણભાર આપવામાં અને સિનિયોરીટી લીસ્ટ તૈયાર કરવામાં ધો. ૧૦ અને ૧ર તેમજ ગ્રેયુએટ વગેરેની ડિગ્રીને ધ્યાનમાં રાખવાની હતી. પરંતુ લાગવગ શાહીના ધોરણે કામ પાર પાડવામાં આવ્યું હોવાનું જાળવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા માસ અગાઉ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિપક્ષના કોર્પોરેટર દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને મેરીટ લીસ્ટ સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે અને અર્થઘટન સામે નારાજગી ઉઠ્વા પામી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh