Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશ્ચર્યજનક આગમન અંગે જામસાહેબનું સૂચનઃ
જામનગર તા. ૩૦ઃ જામનગર નજીક આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં આ વરસે શિયાળાની ઋતુમાં ગ્રે લેટ ગૃઝ પક્ષીનું ખૂબ મોટી સંખ્યામાં આગમન થયું છે.
સામાન્યરીતે આ ખાસ પ્રજાતિના પક્ષી સ્થળાંતર કરવા માટે જાણીતી નથી. તેમ છતાં મોટી સંખ્યામાં આ પક્ષીઓએ ક્યાંકથી સ્થળાંતર કરી ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં આવીને આશ્રય લીધો છે.
આ પક્ષીઓના આશ્વર્યજનક સ્થળાંતર અને આગમન અંગે જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ જણાવ્યું છે કે આ પક્ષીઓના કુદરતી નિવાસમાં કોઈ કૃત્રિમ વિક્ષેપ સર્જાયો હોય અથવા પોતાના મુખ્ય ખોરાકની શોધમાં આગમન થયું હોવાની શક્યતા છે. આ ઘટનાનું સંબંધિત વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન કરવા પણ તેમણે સૂચન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial