Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાઃ બરડીયાની ગુંસાઈજી બેઠકમાં ગુંસાઈજીનો પ૦૮ મો પ્રાગટ્યોત્સવ ઉજવાશે

કુનવારાભોગ-જલેબી ઉત્સવ તથા અન્નકુટઃ

દ્વારકા તા. ૩૦: દ્વારકા નજીક બરડીયામાં આવેલી ગુંસાઈજીની બેઠકજીમાં આગામી તા. પ-૧-ર૪ ને શુક્રવાર માગસર વદ નૌમના શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના પ૦૮ માં પ્રાગટ્યોત્સવની ધામધૂમર્વક ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે ભાવિકોને કુનવારા ભોગ મનોરથ, જલેબી ઉત્સવ, તથા ભવ્ય અન્નકુટ દર્શન તા. પ-૧-ર૪ ના બપોરે ૧ઃ૩૦ થી ર-૩૦ સુધી થશે. બરડીયા બેઠકજીમાં થનાર પ્રાગટય મહોત્સવ (જલેબી ઉત્સવ)ની અલૌકિક ઝાંખીના દર્શન કરવા મહાપ્રસાદનો લાભ લેવા સૌ વૈષ્ણવ સમાજને બરડીયા બેઠકજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ શ્રી નવી હવેલી દ્વારકા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh