Advertisement
Author: નોબત સમાચાર

લગ્ન થતાં ન હોવાના કારણથી વ્યથિત યુવાને ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

ખંભાળિયાના વડાલીયા સિંહણમાં પ્રસરી ગમગીનીઃ

જામનગર તા. ૩૦ઃ ખંભાળિયાના વડાલીયા સિંહણ ગામમાં વસવાટ કરતા એક યુવાને પોતાનું વેવિશાળ થઈ શકતું ન હોવાના કારણે નાસી પાસ થઈને ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના વડાલીયા સિંહણ ગામમાં રહેતા પ્રદીપસિંહ કિરીટસિંહ જાડેજા નામના એકત્રીસ વર્ષના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની તેમના પરિવારને જાણ થતાં આ યુવાનને નીચે ઉતારી ચકાસવામાં આવ્યા હતા. જેમાં આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને વાકેફ કરાઈ હતી. દોડી ગયેલી ખંભાળિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પી.એમ. માટે મોકલ્યો છે.

મૃતક પ્રદીપસિંહના પરિવારના રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજાનું પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પ્રદીપસિંહના લગ્ન માટે તેમના પરિવાર દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ યોગ્ય પાત્ર મળતું ન હોવાના કારણે પ્રદીપસિંહ નાસીપાસ થઈ ગયા હતા અને તેના કારણે તેઓએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh