Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠંડીમાં આંશિક વધારો નોંધાયોઃ
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો.
જામનગરમાં બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ હતી.
જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર તરફથી શનિવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાનના આંકડા પ્રાપ્ત થયા હતાં જેમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ર૭.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. લઘુતમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ઠંડીમાં આંશિક વધારો થયો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકાએ યથાવત્ રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial