Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર તા. ૩૦ઃ જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની દેશમાં અમલવારી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લાભાર્થીઓને લાભ મળ્યો છે.

બેઠકમાં કલેક્ટરે જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ફરિયાદ સમિતિમાં આવેલા પ્રશ્નોને સાંભળ્યા હતાં અને તેનો નિકાલ થાય તે દિશામાં સર્વે સદસ્યોને કાર્ય કરવા અંગેની સૂચના આપી હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, વીમા કંપનીના કર્મચારીગણ અને ઉક્ત યોજના સાથે સંલગ્ન તમામ હોસ્પિટલના પ્રતિનિધિગણ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh