Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારસાઈ નોંધ અંગે વિવાદ ઉભો થયા પછી
જામનગર તા.ર૪ : જામનગર નજીકના લાખાબાવળમાં આવેલી એક કિંમતી જમીનના વેચાણ પર નિયંત્રણ મૂકવા માટે ગ્રામ્ય પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરાતા તેનો વિગતવાર અહેવાલ મોકલવા મામલતદારને આદેશ કરાયો છે.
જામનગર નજીકના લાખા બાવળમાં પ્રેમચંદ આણંદ ચંદરીયા નામના આસામીનું સર્વે નં.૪પ૧માં આવેલી જગ્યા વર્ષ ૨૦૦૪માં ભૂદર લાલ નાનજી ગઢીયાએ ખરીદી હતી. અગાઉ પ્રેમચંદ આણંદ ચંદરીયાના વારસોએ દાખલ કરેલી વારસાઈ નોંધ રદ્દ કરાવવા કાર્યવાહી કરી તેઓએ વેચાણ દસ્તાવેજની નોંધ પડાવી હતી.
તે જગ્યા મહેસૂલ કાયદા ની જોગવાઈનો ભંગ થાય તે રીતે વેચાઈ હોવાનું માની પ્રાંત અધિકારીએ ખાતેદારને દંડ કર્યાે હતો. વેચાણ નોંધ નામંજૂર થઈ હોવા છતાં ભૂદર લાલનું નામ રેવન્યુ રેકર્ડમાંથી દૂર થયું ન હોય તેનો દૂર ઉપયોગ કરી બે વખત બિન ખેતી જેવી કાર્યવાહી માટે ભૂદરલાલે પ્રયત્ન કર્યાે હતો.
તે પછી આ આસામી રેવન્યુ રેકર્ડનો દૂરઉપયોગ ન કરે તેથી વેચાણ અંગેના પ્રશ્નો નિવારવા આ જમીનના વેચાણ પર નિયંત્રણ મુકવા માગણી કરાતા પ્રાંત અધિકારીએ તે અંગેનો અહેવાલ મોકલવા મામલતદારને હુકમ કર્યાે છે. પ્રેમચંદ ચંદરીયાના વારસો તરફથી વકીલ જયેશ કારસારીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial