Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં સંતોષી માતાજી મંદિર નજીક રૂપિયા ૧.૮૦ કરોડના ખર્ચે અદ્યતન પ્રાર્થના હોલ બનશે

સ્વર્ણમ જયંતી યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવાતા પાલિકા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં પ્રાર્થનાસભા, બેસણા તથા ઉઠમણાની વિધિ માટે હાલ શરણેશ્વર મંદિર કે જલારામ મંદિર કે લોકો પોતાની જ્ઞાતિની વાડીઓમાં રાખી રહ્યા છે. જ્યાં જગ્યા સાંકડી, ટ્રાફિકની અવ્યવસ્થા જેવા પ્રશ્નો રોજીંદા ઊભા થાય છે, ત્યારે પાલિકાને રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણીમ જયંતી યોજના ર૦રપ-ર૬ માં ગ્રાન્ટ ફાળવતા પાલિકા દ્વારા રૂા. ૧.૮૦ કરોડના જંગી ખર્ચે અદ્યતન સવલતોવાળો પ્રાર્થના હોલ બનાવવા આયોજન કરાયું છે.

ખામનાથના પુલ પહેલા સંતોષી માતાજીના મંદિર તરફની ખાલી જગ્યામાં મંદિરની પહેલા પાણીના પરબ પાસે ૬ હજાર ફૂટથી વધુ જગ્યામાં આ પ્રાર્થનાહોલ બનશે. જે માટેના ટેન્ડર પણ મંજુર થઈ ગયા હોય, થોડા સમયમાં કામ પણ શરૂ થશે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુક્લના સમયમાં અહીં દોઢેક કરોડના ખર્ચે પ્રાર્થનાહોલ બનવાનું નક્કી થયેલું, પરંતુ સ્મશાન નજીક તેની જગ્યામાં હોલ બનાવવા સામે તત્કાલિન અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જે ઠરાવ રદ્ થયો હતો જે પછી નવી જગ્યા પસંદ કરીને પાલિકા દ્વારા ૧.૮૦ કરોડના ખર્ચે અદ્યતન પ્રાર્થનાહોલ થશે જેથી લોકોને એક વધુ સારી સવલત પ્રાપ્ત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh