Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરાયોઃ ચાંપતો બંદોબસ્ત

પહલગામમાં આતંકવાદી હુમલા પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે. જગતમંદિર દ્વારકામાં પણ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તથા વાહન સહિતના કડક ચેકીંગ કરવામાં આવી રહ્યા છે.

સુપ્રસિદ્ધ દ્વારકા જગતમંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવતા રહે છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી જગતમંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને વધારે પોલીસ કર્મચારીને મંદિરની સુરક્ષામાં તૈનાત કરી દેવામાં આવી છે. મંદિર નજીક કોઈપણ વાહનને લઈ જવાની મંજુરી આપવામાં આવતી નથી અને યાત્રિકોની પણ જીણવટભરી તપાસ પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એકંદરે સ્થાનિક પોલીસ વધુ સક્રિય બની છે અને સુરક્ષામાં કોઈ ચૂક રહે નહીં તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh