Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતરના શેઢેથી માટી ભરવાના પ્રશ્ને પિતા-પુત્ર પર હુમલોઃ
જામનગર તા.ર૪ : કાલાવડમાં એક પિતા-પુત્ર પર ખેતરના શેઢેથી માટી ભરવા મુદ્દે ધોકા, ઢીકાપાટુથી હુમલો કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે ખીમરાણામાં બે પિતરાઈ વચ્ચે ખેતરમાં પાણીના નિકાલ બાબતે અણબનાવ થયા પછી સમાધાન કરી લેવાયું હોવા છતાં ગઈકાલે હુમલો થયો છે.
કાલાવડ તાલુકાના જસાપર ગામના વતની અને હાલમાં કાલાવડમાં રહેતા હીરેન મનોજભાઈ સાવલીયા નામના યુવાને કાલાવડના કૈલાસ નગરમાં વસવાટ કરતા મયુર નરશીભાઈ અને નરશીભાઈ ગોરધનભાઈ સાવલીયા સામે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગઈ તા.૧૭ના દિને મયુર જોર જોરથી હીરેન સાવલીયાના ઘરની બહાર બોલતો હતો ત્યારે હીરેન તથા તેના પિતા મનોજભાઈ બહાર નીકળ્યા હતા. આ વેળાએ મયુરે મારા ખેતરના શેઢેથી માટી કેમ ભરી છે તેમ કહેતા હીરેને અમે માટી નથી ભરી તેમ જણાવ્યું હતું. તે પછી પણ મયુરે ગાળો ભાંડી હતી. આ બાબતની વાત કરવા માટે હીરેન તથા મનોજ ભાઈ વાત કરવા માટે મયુરના ઘેર ગયા હતા. જયાં મયુર તથા નરશીભાઈએ ગાળો ભાંડી ધોકા-ઢીકાપાટુથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના ધરમશી ભાઈ ડાયાભાઈ માંડવીયાને સાતેક વર્ષ પહેલાં ખેતરમાં પાણીના નિકાલ બાબતે પિતરાઈ ભાઈ ઓધવજી તરશીભાઈ માંડવીયા સાથે અણબનાવ ઉભો થતાં જ્ઞાતિ મારફતે સમાધાન કરવામાં આવ્યું હતું. તેનો ખાર રાખી ગઈકાલે સવારે ઓધવજી માંડવીયાએ ધોકાથી હુમલો કરી ધરમશીભાઈને માર મારી ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial