Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર થયો હતો
નવી દિલ્હી તા. ર૪: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આનંકી હૂમલા અંગે નોંધાયેલી એફઆઈઆરમાં ચોંકવનારા ઘટસ્ફોટ થયા છે. એફઆઈઆર મુજબ આ હૂમલો સંપૂર્ણપણે પૂર્વયોજીત હતો અને આતંકીઓએ સરહદ પારથી તેમના હેન્ડલરોના નિર્દેશ પર તેને અંજામ આપ્યો હતો. આતંકીઓએ ગેરકાયદે રીતે મેળવેલા ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કરીને લગભગ ૩૦ મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ર૮ પ્રવાસીઓ માર્યા ગયા હતાં. આ હૂમલો મંગળવાર (રરમી એપ્રિલ) બપોરે ૧.પ૦ થી ર.ર૦ વાગ્યાની વચ્ચે થયો હતો.
એક અહેવાલ અનુસાર એફઆઈઆરમાં જણાવાયું છે કે, હૂમલાખોરો આર્મી જવાનોના કપડામાં હતા અને અચાનક બૈસારન ખીણની આસપાસના ગાઢ પાઈન જંગલોમાંથી બહાર આવ્યા. આ દરમિયાન પ્રવાસીઓ હરિયાળીનો આનંદ માણી રહ્યાં હતાં. અચાનક ગોળીબાર અને ચીસોનો અવાજ આવ્યો. થોડીવારમાં ઘણાં લોકો જમીન પર પડી ગયા અને ઘણાં ઈજાગ્રસ્ત થયા હતાં. પોલીસને બપોરે ર.૩૦ વાગ્યે હૂમલાની માહિતી મળી હતી અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં હૂમલાખોરો ભાગી ગયા હતાં. બૈસારન સુધી જવા માટે કોઈ મોટરેબલ રસ્તો ન હોવાથી, સુરક્ષાદળોને ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial