Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એકયુપ્રેશર સુજોક તથા મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય કેમ્પ

ખોડલ ગ્રીન, શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ખોડલ ગ્રીન, શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ દ્વારા એકયુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી પાંચ દિવસીય નિઃશુલ્ક સારવાર કેમ્પ તા. ૨૫થી તા. ૨૯-૪-૨૦૨૫ દરમ્યાન શ્રી લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ-જામનગર સંચાલિત શ્રી નારણભાઈ માંડાભાઈ વિરાણી સમાજ વાડી, ખોડલ ગ્રીન, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ચીકનગુનીયા, જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી-સુગર, જાડાપણું, આંખ-કાન-ગળુ સહિતની દરેક બીમારીઓનો વગર દવા (હાથ પગની નાડીઓ દબાવીને) સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા, એકયુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના ડો. સુમન કુમાર, ડો. વિક્રમસિંહ, ધરમપાલ બિશ્નોઈ સેવા આપશે. કેમ્પનો લાભ લેવા પ્રમુખ મહેન્દ્રભાઈ તરપદા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh