Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ર૪: પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ૪૮ મા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પૂ. કાલીન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન નૃસિંહલાલજી નટરવગોપાલજી મહારાજ (પોરબંદર, વેરાવળ, દ્વારકા, બરડિયા બેઠકજી, કંપાલા હવેલી) ની અધ્યક્ષતામાં કરવામાં આવી રહી છે.
આજે સાંજે પાંચ વાગ્યે ગોમતીકુંડના બેઠકજીએથી મહાપ્રભુજીની વરણાંગી સાંજે પાંચ વાગ્યે કીર્તન મંડળી સાથે પ્રસ્થાન કરી નવી હવેલીએ પધરામણી કરશે. ત્યાં વૈષ્ણવ પાઠશાળાના બાળકો તથા શિવણ ક્લાસીસની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. ત્યાંથી વરણાંગી પ્રસ્થાન થઈ પુનઃ બેઠકજી પધારશે. ત્યાં નંદ મહોત્સવ થશે. પૂ. કાલીન્દીવહુજી મહારાજ વૈષ્ણવોને આશીર્વચન પાઠવશે. ત્યારપછી વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. નવી હવેલીમાં સવારે ૧૦ વાગ્યાથી નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં સાંજે ગોમતીઘાટ પર મહાપ્રભુજીની બેઠકજીમાં વિશેષ પૂજા-પાઠ થશે.
આ ધાર્મિકોત્સવ પ્રસંગે દ્વારકાદાસભાઈ રાયચુરા, અનુપમભાઈ બારાઈ, મનસુખભાઈ બારાઈ, કિશોરભાઈ પાબારી, ઈશ્વરભાઈ ઝાખરિયા, ભરતભાઈ મોદી, વજુભાઈ પાબારી, દામભાઈ દાવડા, રમેશભાઈ લાલ, નટુભાઈ દત્તાણી, દિપકભાઈ સોનેચા, ધનસુખભાઈ બારાઈ વિગેરે ઉપસ્થિત રહેશે.
પ્રાગટ્ય મહોત્સવની પૂર્વ સંધ્યાએ પુષ્ટિ બાલ પાઠશાળાના બાળકો દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial