Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં જવાન શહીદ

પહલગામ આતંકવાદી હુમલાની ઘટના પછી

                                                                                                                                                                                                      

 નવી દિલ્હી તા. ર૪: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે. અહેવાલો અનુસાર જમ્મુ અને કાશ્મીર પોલીસે આજે ઉધમપુરના વસંતગઢમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બન્ને બાજુથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

પહેવાલો અનુસાર ઉધમપુરના ડુડુ બસંતગઢના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ભારતીય સેનાના જણવ્યાનુસાર આ જંગલ વિસ્તાર ભારતીય સેનાની ૯ અને ૧૬ કોર્પ્સની સરહદ પર આવેલો છે. ગુફાઓ અને આતંકીઓ માટે છૂપાયેલા સ્થળોથી ભરેલો છે. જ્યાં બે આતંકી જોવા મળ્યા હતાં. જેમણે જવાનો પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેના, પેરા અને જેકેપીએ જવાબ આપ્યો અને ગોળીબાર કર્યો. જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તબીબી પ્રયાસો છતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, પહલગામ આતંકવાદી હુમલા પછી છેલ્લા ર૪ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે આ ત્રીજી અથડામણ છે. આ પહેલા કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh