Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીની સ્પષ્ટ ચેતવણી... સાવધાન...
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લાના જીઆઈડીસી અને ઔદ્યોગિક એકમોએ ગંદા પાણીનો નિકાલ ગટર કે ખૂલ્લી જગ્યામાં ન કરવા જીપીસીબી દ્વારા સૂચના અપાઈ છે અને ભાડાથી ચાલતા એકમો જો આ રીતે નિકાલ કરશે તો સંબંધિત પ્લોટના માલિક પણ જવાબદાર ઠરશે, તેમ જણાવાયું છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) જામનગર દ્વારા જીઆઈડીસી ખાતે અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નિયમિત રીતે સ્થળ મુલાકાતો લેવામાં આવે છે. આ તપાસ દરમિયાન અનેક એકમો દ્વારા ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ સીધો જીઆઈડીસી ગટરમાં કે બહાર ખુલ્લામાં કરાતો હોવાનું સામે આવ્યું છે.
ઘણા યુનિટો બોર્ડની જરૂરી મંજૂરી વગર કાર્યરત હોવાને લીધે તેઓ સામે તાત્કાલિક રાહે એકમ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં અમુક ઔદ્યોગિક એકમો ભાડે ભાલતા હોય છે. જેમાં સંયુક્ત જવાબદારી પ્લોટ માલિકની પણ ગણવામાં આવે છે.
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ રીતે બંધ કરાયેલ યુનિટ સામે દંડ વસુલવામાં આવે છે અને તેની સંયુક્ત જવાબદારી પ્લોટના માલિક ઉપર આવે છે. જેથી ભાડે આપેલા એકમ માટે જીપીસીબીની તમામ જરૂરી મંજૂરીઓ સમયસર લેવા અને ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ માત્ર (કોમન ઈફ્યુલમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) મારફતે કે પોતાની રીતે ટ્રીટમેન્ટ થકી જ કરવામાં આવે તેવી તકેદારી રાખવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. જેથી કરીને પ્લોટ માલિક આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચી શકે તેમ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial