Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ-દાગીના સળગી જતા બચાવી લેવાયાઃ
જામનગર તા. ૧૯: જામનગરના એરફોર્સ-ર વિસ્તારમાં આવેલા બાલાજી પાર્કમાં એક મકાનમાં શોર્ટ સર્કીટના કારણે આગનું છમકલુ થયું હતું. ત્યાં પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે એક કબાટમાં રાખવામાં આવેલી રોકડ તથા દાગીના સળગી જતા બચાવ્યા હતા. એક કલાક સુધી પાણીનો મારો ચલાવાયો તે દરમિયાન કેટલુક ફર્નિચર અને ઉપકરણ ખાખ થઈ ગયા હતા.
જામનગર શહેરના એરફોર્સ-ર રોડ પર આવેલા બાલાજી પાર્કમાં રહેતા અખિલભાઈ શર્મા નામના પરપ્રાંતીય આસામીના મકાનમાં શોર્ટ સર્કીટના કારણે આગનું છમકલુ થયું હતું.
આ આસામી બહાર ગયા હતા અને તેમના પત્ની પણ શાકભાજી ખરીદવા માટે મકાન બંધ કરી થોડીવાર માટે બહાર ગયા તે દરમિયાન ફ્રીઝમાં કોઈ રીતે શોર્ટ સર્કીટ થતા આગ ભભુકી હતી. આજુબાજુમાં રહેતા લોકોએ અખિલભાઈના પત્નીને જાણવા કરવા ઉપરાંત ફાયરબ્રિગેડને કોલ કરતા ફાયરની ટીમ ધસી આવી હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ મકાનમાં ભભૂકેલી આગમાં એક કબાટમાં રાખવામાં આવેલી રૂ.પંદરેક હજારની રોકડ રકમ તથા દાગીનાઓ સળગી જાય તે પહેલા ફાયરના જવાનોએ બહાર કાઢી લીધા હતા. તેમ છતાં ઈલેકટ્રીક ઉપકરણો તેમજ ફર્નિચર આગમાં લપેટાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial