Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઈશ્રી સોનલમાંના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાશેઃ ધર્મસભા, મહાપ્રસાદ-સન્માન સમારંભ સહિતના કાર્યક્રમો

મંદિરના પ્રાંગણમાં નિર્માણ પામેલા ડોમનું કરાશે લોકાર્પણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ચારણ સમાજ-સોનલધામ, જામનગર અને આઈ શ્રી સોનલ માં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આઈશ્રી સોનલ માં જન્મોત્સવ (સોનલ બીજ)ની ઉજવણી તા. ૨૨/૧૨ ના સોમવારે આઈ શ્રી સોનલધામ,  ૪૯- દિગ્વિજય પ્લોટ, ઉદ્યોગનગર રોડ, જામનગરમાં કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાશે.

જેમાં તા.૨૨ ના સવારે ૭:૩૦ વાગ્યે ધ્વજારોહણ, ૮ વાગ્યે જુંગીવારા વાછરાભાના મંદિરેથી (નીલકમલ સોસાયટી પાછળ, ખોડીયાર કોલોની, જામનગર) શોભાયાત્રા નીકળશે, સવારે ૧૦ વાગ્યે દીપ પ્રાગટ્ય, ૧૦:૧૫ વાગ્યે આઈ શ્રી સોનલમાંના પ્રવચનની ઓડિયો કેસેટ શ્રોતાઓને સંભળાવવામાં આવશે, ૧૦:૩૦ વાગ્યે કલાકાર અશ્વિનભાઈ ગઢવી દ્વારા સોનલ વંદના, સવારે ૧૧ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન ધર્મસભા, વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન, સવારે ૧૧ થી બપોરના ૨ વાગ્યા સુધી સમૂહ પ્રસાદ,  બપોરે બે થી સાંજના ૬ વાગ્યા સુધી રાસ ગરબા,  ૮:૩૦ વાગ્યે ચારણ બાળાઓ દ્વારા સંધ્યા આરતી, રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા ની ગ્રાન્ટ માંથી આશરે રૂ.૩૨.૫૦ લાખના ખર્ચે આઈ શ્રી સોનલ માના મંદિરના પ્રાંગણમાં બનેલા ડોમનું લોકાર્પણ કરવામાં આવશે.

ધર્મ સભામાં ચારણ મહાત્મા પાલુ ભગત (કાળીપાટ) અને સ્વામી દયાલપુરી બાપુ (શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિર, હાથીદરા-પાલનપુર) ઉપસ્થિત રહેશે.

પ્રસાદના દાતા જીતુભાઈ નરશીભાઇ જાળફવા, દીપકભાઈ નરશીભાઈ જાળફવા અને વિશાલભાઈ ધર્મેન્દ્રભાઈ જાળફવા છે તથા વિદ્યાર્થી સન્માનના દાતાશ્રી ગઢવી મહેશભાઈ ગોવિંદભાઈ જાળફવા ( એલ.આઈ.સી. જામનગર) છે.

આ તકે મેયર વિનોદભાઈ ખીમસુરીયા, રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વિગેરે ઉપસ્થિત રહેશે. આઈ શ્રી સોનલ બીજ ઉત્સવ સમિતિના પ્રમુખ લક્ષ્મણભાઈ ગઢવી અને મોહનભાઈ ગઢવી છે. સર્વે જ્ઞાતિજનોને આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી અને ઉપપ્રમુખ રાણાભાઇ ગઢવી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh