Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા દ્વારા
જામનગર તા. ૧૯: જામનગરમાં શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા દ્વારા સમસ્ત જનકલ્યાણ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાસાસને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર કપિલભાઈ પંડયાએ કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથાનું આયોજન પ્રમુખ અનિલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહિલામંડળ અને યુવા ટીમના પ્રયાસોથી થયું હતું. જેમાં વિવિધ પ્રસંગોની ઉજવણીમાં બ્રહ્મ બંધુઓ મુખ્ય યજમાન તથા સહયોગી પોથીમાં લાભ મેળવ્યો હતો. આ ધર્મકાર્યમાં વિવિધ ભાગવત કથાકારો તેમજ ભૂદેવ કર્મકાંડી સમિતિના સભ્યો સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના જામનગર જિલ્લાના પ્રમુખ આશિષભાઈ જોશી તથા સમગ્ર ટીમ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર, વિવિધ સત્સંગ મંડળો, દાતાઓ અને મહાદેવ ગ્રુપના મિતેશભાઈ વગેરે આ ધર્મકાર્યમાં જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial