Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગના હુમલાથી ભિક્ષુકનું મૃત્યુઃ
જામનગર તા. રપઃ ઓખામાં રેલવે ટ્રેક પાસેથી ગઈકાલે સવારે બેભાન હાલતમાં મળી આવેલ એક અજાણ્યા ભિક્ષુકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે ભાણવડના આંબલીયારા ગામના કોળી યુવાને અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લઈ જીવતર ટૂંકાવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં મારૃતીનગર પાછળ રહેતા અશ્વિનભાઈ ચનાભાઈ વેગડ નામના સફાઈ કામદારે ગઈકાલે સવારે રેલવે ટ્રેક પાસે એક પ્રૌઢને બેભાન જેવી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી ઓખા પોલીસે તે પ્રૌઢને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. અંદાજે પંચાવનેક વર્ષની વયના અને ભિક્ષુક જેવા લાગતા મૃતકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
ભાણવડ તાલુકાના આંબલીયારા ગામમાં રહેતા અશોકભાઈ પોપટભાઈ સુરેલા (ઉ.વ.ર૭) નામના કોળી યુવાને રવિવારે સાંજે ઈન્દ્રેશ્વર મંદિર પાસે પુલ નજીક એક ઝાડ નીચે જઈ કોઈ અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લીધા હતા. સારવારમાં ખસેડાયેલા અશોકભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા પોપટભાઈ પુંજાભાઈ સુરેલાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial