Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાની હુન્નરશાળા સંચાલિત સંસ્થાઓમાં વિશ્વયાત્રા દિને યોગા-પ્રાણાયામ યોજાયા

ત્રણ ભાગમાં વિવિધ કાર્યક્રમો સંપન્નઃ

જામનગર તા. રપઃ જોડિયાની હુન્નર શાળામાં વિશ્વયાત્રા દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં.

જોડિયાની પ્રખ્યાત શેડ કાકુભાઈ સ્ત્રી હુન્નર શાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં તા. ર૧-૬-ર૦ર૪ ના વિશ્વ યોગ દિવસે શિક્ષકો, શાળાની વિદ્યાર્થીનીઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના તમામ વિભાગના કર્મચારી ભાઈઓ-બહેનો, જોડિયાના સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ, ગ્રામજનો, વાલીઓએ યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય-જોડિયામાં તારીખ ૧પ, ૧૬ અને ૧૭ અને ર૦ જૂન ર૦ર૪ ના ધો. ૯ થી ૧ર ની તમામ વિદ્યાર્થીનીઓને એક કલાક શાળાના શિક્ષકો દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિષે માર્ગદર્શન આપી યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારપછી વિદ્યાર્થીનીઓની પાસે યોગ કરાવવામાં આવ્યા હતાં. શિક્ષકોના માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમની ઉજવણીની ખબર શાળાની વિદ્યાર્થીનીઓના વાલી અને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવી હતી. શાળાના આચાર્યા શ્રી ક્રિષ્નાબા ચુડાસમાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

તા. ર૧-૬-ર૦ર૪ ના આ ઐતિહાસિક દિવસે સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના તમામ વિભાગના કર્મચારી ભાઈ-બહેનો, જોડિયાના સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, શાળાની વિદ્યાર્થીનીઓએ સવારે ૮ કલાકે કાર્યક્રમ શરૃ થયો હતો. શાળામાં યોગ માટેની પ્રાથમિક જરૃરિયાત પૂરી પાડવામાં આવી હતી. પ્રાર્થના અને શ્લોકથી કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી. તે પછી ત્રણ મિનિટ હળવી કસરત જેવી કે ગરદનનું પરિભ્રમણ, કાંડાનું પરિભ્રમણ અને ખભાનું પરિક્રમણ કરવામાં આવ્યું જેના દ્વારા કાર્યક્રમને વેગ મળ્યો.

કાર્યક્રમના ત્રીજા ભાગમાં ૧પ મિનિટ સુધી યોગાસન કરવામાં આવ્યા જેમાં ઊભા આસનોમાં તાડાસન, વૃક્ષાસન, અર્ધચકાસન, ત્રિકોણાસન વગેરે કરવામાં આવેલ. ત્યારપછી બેઠા આસનોમાં વજ્રાસન, વક્રાસન, ભદ્રાસન, અર્ધઉષ્ટ્રાસન, શશાકાસન, અને વકાસન વ્યાયામ શિક્ષિકા શ્રી મમતાબેન જોષીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા હતાં. ત્યારપછી સુતાં-સુતાં કરવાના આસનમાં પવનમુક્તાસન, ભૂજંગાસન, ઉતાનપાદાસન, સવાસન પણ કરવામાં આવ્યા, સાથે સાથે યોગાસન કાર્યના આ ભાગ પછી પ મિનિટ વિરામ આપવામાં આવ્યો હતો. ત્યારપછી પાંચમાં ભાગમાં ત્રણ વાર કપાલભાતિ યોગ કરવામાં આવ્યા. પાંચ ભાગમાં અનુલોમ-વિલોમ, શીતલી, ભ્રામરી, પ્રાણાયામ કરવામાં આવ્યા ઉપરાંત સૌ લોકોના ગુંજનથી વાતાવરણ રોમાંચિત થયું હતું. ધ્યાન, આસન અને મુદ્રા કરવામાં આવ્યું. અંતિમ ચરણમાં વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, ગ્રામજનો સમગ્ર વિશ્વમાં એક્તા જળવાય, દરેક મનુષ્યને સ્વસ્થ, સારા અને આનંદી, પ્રિય બનાવા માટે સંકલ્પ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh