Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટીઆરપી ગેમઝોનના મુદ્દે
જામનગર તા. રપઃ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દેનાર રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડના મૃતકોની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ કોંગ્રેસ દ્વારા મૃતકોને શ્રૃદ્ધાંજલિ અર્પણ કરવા તેમના સન્માનમાં રાજકોટ બંધનું એલાન આપ્યું છે. જેમાં જામનગર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ જોડાઈને મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી રાજકોટ વાસીઓને તેમના વેપાર-ધંધા બંધ રાખવા નમ્ર અપીલ કરી હતી. રાજકોટ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને રાજકોટવાસીઓએ સ્વયંભૂ બંધ પાળીને અગ્નિકાંડના દોષિતો સામે મૂક રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટ બંધના કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રતિનિધિ સહારાબેન મકવાણા, મનપાના વિરોધપક્ષના નેતા ધવલભાઈ નંદા, અન્ય આગેવાનો, મહિલા કાર્યકરો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial