Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોર્પોરેટર કુરકાન શેખની રજુઆત
જામનગર તા. રપઃ જામનગરના વોર્ડ નં. ૬માં ભૂગર્ભ ગટરની પાઈપલાઈનનું કામ ચાલુ છે. જેમાં પાંચ મહિના પહેલા જે રોડ તોડીને ખાડા ખોદાયા હતા તે આજે પણ વણપુરાયેલા છે અને તેના પર કોઈ પેચવર્ક થયું નથી. જેમાં કાલીમાતાના મંદિરથી બેડી પોર્ટ સુધીનો રસ્તો કે જેના પર ર૪ કલાક સતત વાહનોની અવરજવર રહે છે, તે માર્ગ પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે આ પેચવર્ક વગરના ખાડાઓના કારણે અકસ્માતનો ભય રહે છે.
આ ઉપરાંત બાલાજી પાર્ક, વામ્બે આવાસના માર્ગોની હાલત પણ બિસ્માર છે . હાલ વરસાદની સીઝનમાં કાદવ-કીચડના કારણે વાહનો ખાડામાં ફસાઈ જાય છે. ટુ-વ્હીલર વાહનો સ્લીપ થઈ જાય છે.
આ રસ્તાઓના ખાડા વ્યવસ્થિત રીતે પુરવા અને પેચવર્ક કરવા વોર્ડ નં. ૬ ના બીએસપીના કોર્પોરેટર કુરકાન શેખે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. આ પ્રશ્ને અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial