Advertisement
Author: નોબત સમાચાર

એડવોકેટ પ્રોટેક્શન એેક્ટ માટે વધુ એક વખત બાર એસો. દ્વારા આવેદન

ત્રણ મહિના પહેલાં એડવોકેટની હત્યા થઈ હતીઃ

જામનગર તા. રપઃ જામનગર બાર એસોસિએશન દ્વારા આજે વધુ એક વખત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે. ત્રણ મહિના પહેલા બેડી વિસ્તારમાં એક એડવોકેટની સરાજાહેર હત્યા થયા પછી જે તે વખતે આ કાયદો ઘડવા અને લાગુ કરવા માગણી કરાઈ હતી.

જામનગરના બેડી વિસ્તારમાં ગયા માર્ચ મહિનામાં એડવોકેટ હારૃનભાઈ પલેજાની કુખ્યાત સાયચા ગેંગના શખ્સોએ સરાજાહેર કરપીણ હત્યા કરી હતી. સાયચા ગેંગના એક શખ્સ સામે એક શિક્ષિકાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના નોંધાયેલા ગુન્હામાં ફરિયાદી તરફથી એડવોકેટ પલેજા કેસ લડતા હતા. તે બાબતનો ખાર રાખી હત્યા કરાઈ હતી.

એડવોકેટની હત્યા પછી જામનગર બાર એસોસિએશન તથા રાજ્યભરના વકીલ મંડળોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો હતો. વકીલો પર થતાં જીવલેણ હુમલા અંગેના બનાવોના પગલે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઘડવા અને લાગુ કરવાની ઉગ્ર માગણી કરવામાં આવી હતી.

ત્યારપછી આજે જામનગરના બાર એસો.ના પ્રમુખ એડવોકેટ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, મંત્રી મનોજભાઈ ઝવેરી સહિતના પદાધિકારીના વડપણ હેઠળ બાર એસો.એ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી એડવોકેટ પ્રોટેક્શન એકટ અંગે આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh