Advertisement
Author: નોબત સમાચાર

અજય જાડેજા દ્વારા દ્વારકાની ગોમતી નદીમાં માતાના અસ્થિઓનું વિસર્જન

દ્વારકામાં ૫ૂર્વ ક્રિકેટર દ્વારા ધાર્મિક ક્રિયાઃ

દ્વારકા તા. ર૫ઃ તાજેતરમાં જામનગરના પૂર્વ સંસદસભ્ય દોલતસિંહ જાડેજાના પત્ની તથા પૂર્વ ક્રિકેટર અજય જાડેજા તથા અજીતસિંહ જાડેજાના માતા શાનબા (ઉ.વ. ૮૮) નું દિલ્હીમા અવસાન થયું હતું. તેમની અંતિમવિધિ દિલ્હીમાં થઈ હતી એ પછી અજય જાડેજા દ્વારા આજે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં તેમના માતાના અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સ્થાનિક બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકતવિધિથી વિસર્જન કરાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અજય જાડેજા જામનગરના રાજવી પરિવારમાંથી આવે છે. દિલ્હીથી હરીદ્વાર તથા ગંગાજી નજીક હોવા છતાં તેઓએ વતનમાં અને ચારધામમાં એક દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં માતાના અસ્થિઓનું વિસર્જન કરતા વતનપ્રેમ અને દ્વારકાના મહાત્મયને અભિવ્યકત કર્યા છે એમ કહી શકાય.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh