Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનઃ
એનટીએ દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષાના પેપર લીકના કારણે ર૪ લાખ વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ મુદ્દે વિદ્યાર્થીના હીતને ધ્યાનમાં રાખીને યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ ગઈકાલે જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને આવેદન પાઠવ્યું છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ નીટ પરીક્ષા કૌભાંડનો વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા આજ એન.ટી.એ. દ્વારા લેવામાં આવતી યુ.જી.સી.એન.ઈ.ટીની પરીક્ષાના પેપર પણ લીક થયા હતાં. પરમદિવસે યોજવામાં આવેલ પીજી નીટની પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. એનટીએ દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના પેપર લીક કૌભાંડની તપાસ પણ જરૃરી છે, અને તમામ દોષિતોને સજા મળે, શિક્ષણમંત્રી રાજીનામું આપે, વિદ્યાર્થીઓને ન્યાય મળે એ હેતુથી દેશભરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ આંદોલન કરી રહ્યું છે. આગામી તા. ર૭ ના સાંસદને ઘેરાવ કરવામાં પણ આવનાર છે. જેના અનુસંધાને ગઈકાલે જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ડીકેવી સર્કલ પાસે વિરોધ પ્રદર્શનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંબર સિનેમા પાસેથી ડીકેવી સુધી પદયાત્રા યોજવામાં આવ્યા પછી શ્રી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને આવેદનપત્ર પાઠવી શ્રી સ્વામી વિવેકાનંદજી ભારત દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને પેપર લીક કૌભાંડથી બચાવો. આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ (ગુજરાત) ના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઈ (ગુજરાત) ના મહામંત્રી મહિપાલસિંલહ જાડેજા, એનએસયુઆઈના શહેર પરમુખ રવિરાજસિંહ ગોહિલ અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદિપ બાલાસરા સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial