Advertisement
Author: નોબત સમાચાર

ધાર્મિક લાગણી દુભાવતા તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માગણી

પશુના કાપીને ફેંકી દેવાયેલા અંગો જોવા મળ્યાઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરના વ્હોરાના હજીરા પાસે ગઈકાલે પશુના કાપીને ફેંકી દેવાયેલા કેટલાક અંગ જોવા મળતા આ પ્રકારના કૃત્યો આચરી લાગણીઓ દુભાવવાનો પ્રયાસ કરતા તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા માગણી કરવામાં આવી છે.

જામનગરના નાગનાથ નાકાથી આગળ આવેલા વ્હોરાના હજીરા ૫ાસે ગઈકાલે એક પશુનું કાપીને ફેંકી દેવાયેલું ધડ તથા શરીરના અન્ય અંગો ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ સ્થળેથી સંખ્યાબંધ ભાવિકો રોજ નાગેશ્વરમાં આવેલા મંદિરોએ દર્શનાર્થે જાય છે ત્યારે ભાવિકોની નજર પશુના કપાયેલા અંગો પર પડે અને તેઓની લાગણી દુભાય તે પ્રકારનું કોઈ શખ્સોએ કૃત્ય આચરતા જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા એસપીને અરજી પાઠવાઈ છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ જામનગરમાં ગૌહત્યાના કાયદાની તેમજ એનિમલ ક્રુઅલ્ટી એક્ટનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે તેમ છતાં કાર્યવાહી થતી નથી. તાજેતરમાં મુંબઈ હાઈકોર્ટે આપેલી ગાઈડલાઈન મુજબ જાહેરમાં કોઈપણ પશુની હત્યા કરી કે તેઓના અંગ જાહેરમાં ફેંકી શકાશે નહીં તેમજ કોઈ તે પ્રકારનું કૃત્ય કરશે તો તેની સામે પશુની હત્યાનો ગુન્હો નોંધાશે તેમ ઉમેર્યું હોવા છતાં છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં આ પ્રકારનું કૃત્ય જોવા મળ્યું છે.

તે ઉપરાંત જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગાય વિશે ખરાબ શબ્દોમાં લખાણ કરી હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પણ પ્રયત્ન કરાયો છે. ત્યારે આ બંને બનાવને વખોડી કાઢવામાં આવ્યા છે અને તંત્ર કડક પગલાં ભરે તેવી માગણી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh