Advertisement
Author: નોબત સમાચાર

બંડારૃ દત્તાત્રેયે પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના કર્યા દર્શન

હરિયાણાના રાજ્યપાલ

દ્વારકા તા. ર૫ઃ હરિયાણાના રાજ્યપાલ સપરિવાર યાત્રાધામ દ્વારકાની મૂલાકાતે આવ્યા હતા અને જગતમંદિરમાં દર્શન કર્યા હતાં.

હરિયાણાના રાજ્યપાલ બંડારૃ દત્તાત્રેય સપરિવાર યાત્રાધામ દ્વારકામાં પધાર્યા હતાં. તેઓએ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કરી શ્રીજીની પાદુકાનું પૂજન કરી ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતાં.

વારાદાર પૂજારી દ્વારા તેઓને દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી શ્રીજીના આશીર્વાદ પાઠવ્યા હતાં. જગતમંદિર તથા તેમની સાથે મંદિર દેવસ્થાન સમિતિના વહીવટદાર તથા પ્રાંત અધિકારી ભગોરા રહ્યા હતા જેમણે દત્તાત્રેયજીનું દ્વારકાધીશની છબિથી અભિવાદન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh