Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી જગ્યામાં દબાણ કરીને ખડકાયેલા
જામનગર તા. રપઃ જામનગરમાં રણજીત સાગર માર્ગે સરકારી જગ્યામાં ગેરકાયદે કરવામાં આવેલા દબાણને મહાનગરપાલિકા દ્વારા દૂર કરાયું છે.
જામનગરમાં રણજીત સાગર માર્ગે, મારૃ કંસારાની વાડી સામે સરકારી જગ્યામાં એક આસામી દ્વારા નર્સરી ઉભી કરી દેવામાં આવી હતી. આજે પાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને નર્સરીનું બાંધકામ દૂર ખસેડી સરકારી જગ્યા ખાલી કરાવી હતી.
આ ઉપરાંત અન્ય એક સરકારી જગ્યામાં ઢોસાનો વ્યવસાય ખડકી દેવાયો હતો. બે જગ્યામાં થયેલ ગેરકાયદે બાંધકામ પણ એસ્ટેટ શાખાની ટીમે તોડી નાખ્યું હતું અને જગ્યા ખાલી કરાવી હતી. આ માટે જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો ઉપરાંત એસ્ટેટ શાખાનો સ્ટાફ પણ જોડાયો હતો.
આ કામગીરીની ૬ થી ૭ હજાર ફૂટ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial