Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં અસહ્ય બફારોઃ

જામનગર તા. રપઃ જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા રહેતા પ્રજાજનો અસહ્ય બફારાથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ડીગ્રીના કડાકા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે. મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯પ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણ અને પવનની ગતિ ઓછી રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ બની ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.

નગરમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો પાંચ ડીગ્રી સુધી નીચે સરકીને ૩૩ ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે ૪ ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh