Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના આસામીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૩૦: જામનગરના એક આસામીએ રૂ.૨ લાખ ૧૦ ટકાના માસિક વ્યાજે લીધા પછી રૂ.૧ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરે વધુ વ્યાજની માગણી કરી ગાળો ભાંડી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા રબાની પાર્કમાં વસવાટ કરતા જેનુલ ઓસમાણ રાજકોટીયા નામના મેમણ વેપારીએ ગયા ઓકટો. મહિનામાં રબાની પાર્ક પાછળ આવેલા ગરીબ નવાઝ પાર્કમાં રહેતા સમીર અંસારી પાસેથી રૂ.૨ લાખ દર મહિને ૨૦ ટકા વ્યાજે લીધા હતા.
વ્યાજ પેટે સાત મહિનામાં જેનુલભાઈએ રૂ.૧ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં બુધવારે રાત્રે સમીરે ગાળો ભાંડી વ્યાજની ઉઘરાણી કરી હતી અને વ્યાજ ન આપે તો તકલીફ પડશે તેવી ધમકી આપી હતી. જેનુલભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial