Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બી.૫ી., ડાયાબિટીસ, એક્યુપ્રેશર, દંતચિકિત્સા કેમ્પનો લાભ પણ મળશે
જામનગર તા. ૩૦: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુકત ઉપક્રમે શરૂસેકશન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી-જામનગરમાં શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન ગુરૂવાર તા. ૫-૬-૨૫ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદ્ગુરૂ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોકટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા તથા ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ, જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવમામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કુંજલબેન પટેલ તેમની સેવા આપશે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial