Advertisement
Author: નોબત સમાચાર

રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાનો દાવો નામંજૂર કરતી લાલપુર અદાલત

વાદીએ મનાઈ હુકમ પણ માંગ્યો હતોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: લાલપુરના મચ્છુ બેરાજા ગામમાં આવેલી ખેતીની એક જમીન અંગે કરી આપવામાં આવેલો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ્દ કરવાનો દાવો અદાલતમાં કરાતા અદાલતે તે દાવો નામંજૂર રાખ્યો છે.

લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં રે.સ.નં.૬૩ એ માં આવેલી દિનેશ મકન રાઠોડ નામના આસામીની જમીન તેઓએ લાલપુરના પાલા ગોજીયા નામના આસામી પાસે ગીરો મૂકી રૂ. દોઢ લાખ હાથઉછીના લીધા હતા. ખેતીની જમીન ખાનગી પેઢીને ગીરો આપવાની કાયદેસરતા ન હોવાના કારણે તેઓએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવો પડ્યો હતો અને તે દસ્તાવેજનો અમલ કરવાનો નથી પરંતુ ગીરો મુકનાર તેનો કબજો, ભોગવટો રાખવા ઉપરાંત તેમાં પાક ઉગાડી વેચાણ કરે તે રીવાજ મુજબ દસ્તાવેજ કરી અપાયો હતો.

ત્યારપછી ઉછીની લીધેલી રકમ પાલા ગોજીયાને આપી દેવા છતાં તેઓ દસ્તાવેજ કેન્સર કરી આપતા નથી તેથી આ દસ્તાવેજ રદ્દ કરવા અને બીનઅમલી છે તેવો દાવો લાલપુરની કોર્ટમાં કરાયો હતો તેમજ મનાઈહુકમ માંગવામાં આવ્યો હતો.

તે દાવા અન્વયે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે પ્રતિવાદી સામેનો દાવો નામંજૂર રાખ્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, અશોક કાંબરીયા, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા તથા પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh