Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વેપક્ષિય પ્રતિનિધિમંડળ પહોંચ્યુ બાગોટા
બાગોટા તા. ૩૦: કોલંબિયા પહોંચેલા ભારતની સર્વપક્ષિય મંડળ તરફથી શશિ થરૂરે એવો સવાલ ઉઠાવ્યો કે, આતંકીઓના મોત બદલ કોલંબિયાને દુઃખ કેમ થાય છે ? તેઓ તો માનવતા વિરોધી છે.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂર હાલ કોલંબિયાની રાજધાની બોગોટામાં છે. તેઓ આતંકવાદના વિરોધમાં ભારતના સફળ 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપવા માટે બનાવેલા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે. તેમણે બોગોટામાં પાકિસ્તાનના આતંકના ચહેરાને ઉજાગર કરતા કહૃાું કે, 'અમને બરાબર ખબર છે કે, પાકિસ્તાનમાં ૮૧ ટકા ડિફેન્સ સાધનો ચીનથી આવે છે. ડિફેન્સ એક ખૂબ જ ઉદાર શબ્દ છે. પરંતુ, હકીકતમાં આ પાકિસ્તાનના સંરક્ષણ અને સૈન્ય ઉપકરણ નથી. તેમાંથી મોટાભાગનો ઉપયોગ તે સંરક્ષણ માટે નહીં પરંતુ, હુમલા માટે કરે છે. પાકિસ્તાનમાં ચીનનો સૌથી મોટો પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ ઇનિશિએટિવ છે, જે ચીનને દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના બંદર સાથે જોડે છે. અહીંથી સામાનને ખૂબ જ ઝડપથી અને સસ્તી રીતે ચીન સુધી પહોંચાડવામાં આવી શકે છે, જેની અમને જાણકારી છે. અમારી લડાઈ હંમેશાંથી ફક્ત આંતક વધારનારા સામે છે.'
થરૂરે કહૃાું કે, અમે કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ. મને લાગે છે કે, કદાચ સ્થિતને સંપૂર્ણ રીતે સમજવામાં નથી આવી, જ્યારે કોલંબિયાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતના હુમલામાં મોતને ભેટેલા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. અમે અહીં ફક્ત પરિસ્થિતિને સમજાવવા માટે આવ્યા છીએ, જે અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત એવો દેશ છે જે હકીકતમાં વિશ્વમાં રચનાત્મક પ્રગતિની શક્તિ રહૃાો છે. અમે આશા રાખીએ છીએ કે, દુનિયાભરની સરકાર આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણા પૂરા પાડનારી અને તેમને સંરક્ષણ આપનારી સરકારને આ બંધ કરવા જણાવશે.'
પહલગામ હુમલા વિશે વાત કરતા થરૂરે કહૃાું કે, 'હું પહેલા જ કહી ચુક્યો છું કે, અમારી પાસે પુખ્તા પુરાવા છે. જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો, તો તેની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકી સંગઠને લીધી હતી. આ સંગઠન પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાનું જ એક એકમ છે. અમે કોલંબિયામાં અમારા મિત્રોને કહીશું કે, આતંકવાદીઓને મોકલનાર અને તેમના વિરોધ કરનાર વચ્ચે સમાનતા ન હોય શકે. આ પ્રકારનો હુમલો કરનાર અને અને તેનાથી પોતાની સુરક્ષા કરનારને એક ત્રાજવે તોલી ન શકાય. અમે ફક્ત આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહૃાા છીએ અને તેના પર કોઈ ગેરસમજ છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ. અમે કોલંબિયા સરકાર પાસે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતની સૈન્ય કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપતા રાજીપો અનુભવીશું. જણાવી દઈએ કે ,શશિ થરૂરની આગેવાનીમાં ભારતનું એક પ્રતિનિધિમંડળ ગુયાના, પનામા, કોલંબિયા, અમેરિકા અને બ્રાઝિલ આ પાંચ દેશોની યાત્રા કરી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial