Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયામાં રાજપૂત સમાજ દ્વારા
ખંભાળિયા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપની ૪૮પ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયામાં રાજપૂત સમાજ દ્વારા રાષ્ટ્રીય વીર હિન્દુ રક્ષક ક્ષત્રિય કુળ શિરોમણી વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ દ્વારકા તથા જામનગર રાજપૂત સમાજના પ્રમુખ પી.એસ. જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. ખંભાળિયામાં જામનગર રોડ પર મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું પૂજન બ્રાહ્મણની ઉપસ્થિતિમાં કરાયું હતું. ખંભાળિયા રાજપૂત સમાજના પ્રમુખ નટુભા બી. જાડેજા સહિતના રાજપૂત આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં. પી.એસ. જાડેજા તથા નટુભા બી. જાડેજાએ મહારાણા પ્રતાપસિંહની બહાદુરી તથા વીરતા વિષે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial